પાકિસ્તાને નાપાક હરકત દ્વારા ફતેહ-1 મિસાઇલ છોડી, ભારતે આતંકી લોન્ચપેડ અને પાકિસ્તાન આર્મીની પોસ્ટ ઉડાવી દીધી, અંધારાની લાભ હેઠળ આખી રાત કર્યો બોર્ડર વિસ્તારમાં ગોળીબાર, રાજૌરીમાં એડિશનલ DDOનું મોત


શુક્રવાર-શનિવાર રાત્રે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચી ગયો. બંને દેશો યુદ્ધની અણી પર ઉભા છે અને તેમની સેનાઓ એકત્ર થઈ ગઈ છે. શુક્રવારે સાંજે પાકિસ્તાને ભારતમાં 26 સ્થળોએ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. આના જવાબમાં ભારતે પાકિસ્તાનના એરબેઝને નિશાન બનાવ્યા છે. દરમિયાન, પાકિસ્તાન સેનાએ દાવો કર્યો હતો કે ભારતે 6 બેલિસ્ટિક મિસાઇલો છોડ્યા હતા, ત્રણ એરબેઝ પર વિસ્ફોટ થયા હતા અને આ પછી પાકિસ્તાને પોતાનું એરસ્પેસ બંધ કરી દીધું હતું. તેવી જ રીતે, પાકિસ્તાન દ્વારા ભારત પર ફતહ-1 મિસાઇલ છોડવામાં આવી હતી.
શુક્રવારે રાત્રે પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ડ્રોન અને મિસાઇલ હુમલાનો ભારતે જવાબ આપ્યો. પાકિસ્તાને જમ્મુ-કાશ્મીર, પંજાબ, ગુજરાત અને રાજસ્થાનના ઘણા વિસ્તારોને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો છે.
ભારતે પાકિસ્તાન એરબેઝ પર વિનાશ વેર્યો
શનિવારે સવારે ભારતે રાજધાની ઇસ્લામાબાદ નજીક સ્થિત કુલ ચાર એરબેઝ પર મિસાઇલો છોડી અને વિનાશ મચાવ્યો. મોડી રાત્રે ટેલિવિઝન પર પ્રસારિત થયેલા નિવેદનમાં, પાકિસ્તાની લશ્કરી પ્રવક્તા લેફ્ટનન્ટ જનરલ અહેમદ શરીફ ચૌધરીએ કહ્યું: “ભારતે તેના વિમાનનો ઉપયોગ કરીને હવાથી જમીન પર પ્રહાર કરતી મિસાઇલો ચલાવી.”
તે જ સમયે, ભારત સરકાર દ્વારા સવારે 10 વાગ્યે એક પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવશે જેમાં ગઈકાલે રાત્રે થયેલા હુમલાઓ સંબંધિત તમામ પાસાઓ પર નવીનતમ અપડેટ આપવામાં આવશે.
શનિવારે વહેલી સવારે શું થયું?
1. જમ્મુ અને કાશ્મીરમાં વાયુસેના સ્ટેશનને નિશાન બનાવવાના પાકિસ્તાનના પ્રયાસોને નિષ્ફળ બનાવવામાં આવ્યા. પાકિસ્તાન દ્વારા રાત્રે કરાયેલા હુમલા પછી, જમ્મુ અને કાશ્મીરમાંથી સવારની તાજી તસવીરો સામે આવી છે.
2. ગુજરાતના કચ્છમાં પાકિસ્તાનના ડ્રોન હુમલાને ભારતે નિષ્ફળ બનાવ્યો છે.
3. પઠાણકોટમાં પણ વહેલી સવારે ઘણા વિસ્ફોટ થયા. ઓછામાં ઓછા અડધા કલાક સુધી તૂટક તૂટક વિસ્ફોટો ચાલુ રહ્યા; જવાબમાં વિમાન વિરોધી બંદૂકો પણ ચલાવવામાં આવી.
4. અમૃતસર પ્રશાસને કહ્યું કે અમે રેડ એલર્ટ પર છીએ. લોકોને તેમના ઘરની અંદર રહેવાનું કહેવામાં આવ્યું છે. ફિરોઝપુર અને ભટિંડા વિસ્તારોમાં હવાઈ હુમલા કરવામાં આવ્યા અને સાયરનના અવાજ પણ સંભળાયા.
5. સવારે ૫.૨૦ વાગ્યે શ્રીનગર એરપોર્ટ નજીક અને સવારે ૪.૫૦ વાગ્યે બારામુલ્લા અને ઉધમપુરમાં પણ વિસ્ફોટોના અવાજ સંભળાયા.
6. ગોળીબારને કારણે જમ્મુ શહેરના રહેણાંક વિસ્તારોને નુકસાન થયું છે. ઘણા ઘરોને નુકસાન થયું છે.
7. જમ્મુ અને કાશ્મીરના ઉરીમાં પાકિસ્તાની ગોળીબારમાં ઘરો અને મિલકતોને ભારે નુકસાન થયું છે. આ ગોળીબાર નાગરિક વિસ્તારોને નિશાન બનાવીને કરવામાં આવી રહ્યો છે.
Leave a Reply