DOWNLOAD! તમારી ગુજરાત એપ્લિકેશન હમણાં જ ડાઉનલોડ કરો

લાખોનું દેવું કરી પુત્રને કેનેડા મોકલ્યો તેણે જ માબાપને દગો દીધો! આખરે માબાપે જે કર્યું તે જાણી ચોંકી જશો! વાંચો

માતા પિતાને ભૂલી જતા પુત્ર પાછળ કરેલા ખર્ચને કારણે દેવામાં ડૂબી જનાર મા બાપે આત્મહત્યાનું અંતિમ પગલું ભરવું પડ્યું હતું

જે માતાપિતા પોતાનાં સંતાનોને નાનપણથી મોટા થાય ત્યાં સુધી પ્રેમ-હૂંફ આપે છે તેઓને ભણાવવાથી લઈ લગ્ન સુધી તમામ જવાબદારી પૂર્ણ કરે છે અને પોતાના શોખના બલિદાન આપી બાળકો માટે બધું ન્યોછાવર કરતા હોય છે અને જ્યારે આજ બાળકો મોટા થઈને વૃદ્ધ બની ગયેલા પોતાના માતા-પિતાની અવગણના કરે તેઓને તરછોડે કે તેઓના માન-સન્માનને ઠેસ પહોંચાડે ત્યારે માતા-પિતાને જે આઘાત લાગે તે ખૂબજ વેદના સભર હોય છે અને તે દર્દ ક્યારેક હદ વળોટે ત્યારે જીવન ટૂંકાવી લેતા હોવાના કિસ્સા સાંભળવા મળે છે જે સમાજને હચમચાવી નાખે છે, કારણ કે માતાપિતાને પોતાના સંતાનો થી વધુ આ દુનિયામાં કોઈ હોતું નથી પણ આજ સંતાન મોઢું ફેરવી લે ત્યારે જે પરિણામ આવે તે ક્યારેક ભયાનક હોય છે.

જે પુત્રને લાખ્ખો રૂપિયા ખર્ચી વિદેશ મોકલ્યો તેજ પુત્ર વિદેશમાં ગયા બાદ માતા પિતાને ભૂલી જતા પુત્ર પાછળ કરેલા ખર્ચને કારણે દેવામાં ડૂબી જનાર મા બાપે આત્મહત્યાનું અંતિમ પગલું ભરવું પડ્યું હતું. જે પુત્રને લાખ્ખો ખર્ચી કેનેડા મોકલ્યો તેણે જ મોઢું ફેરવી લેતા સંબંધોની દુન્યવી માયાજાળ પરથી વિશ્વાસ ઉઠી જાય અને સંવેદનશીલ માણસને કંપારી છૂટી જાય તેવી સુસાઈડ નોટ લખીને માતા પિતાએ સજોડે જિંદગીનો અંત આણ્યો હોવાની હચમચાવતી ઘટના સામે આવી છે.

સુરતમાં બનેલી આ પ્રકારની ઘટનામાં પોતાના પુત્રનું લાખ્ખોનું દેવું ભરી તેને ટેંશન મુક્ત કરનાર પુત્ર કેનેડા જતો રહ્યો અને પુત્રને વિદેશ મોકલવામાં અને તેનું કર્જ ચુકવવામાં લાખ્ખોના દેવામાં ડૂબી ગયેલા માતાપિતાને જાણે ભૂલી ગયો અને અહીં આવ્યો ત્યારે પણ પોતાના માતાપિતાને મળવા નહિ આવતા આ વેદના સહન નહિ કરી શકનાર વૃદ્ધ દંપતીએ સજોડે આત્મહત્યા કરી લેતા ભારે ચકચાર મચી ગઇ છે.

સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા મીરા એવન્યુમાં રહેતા અને મૂળ સાવરકુંડલાના વતની 66 વર્ષીય ચુનીભાઈ ભગવાન ગેડિયા તેમનાં 64 વર્ષીય પત્ની મુક્તાબેન પોતાના સંતાનો સહિતના પરિવાર સાથે રહેતા હતા. ચુનીભાઈ હવે નિવૃત્ત થયા હતા વિચાર્યું કે હવે સુખનું જીવન જીવીશુ.

તેમનાં બે સંતાન પૈકી સંજય સાડી મોડલિંગનું કામ કરતો હતો, જ્યારે બીજો પુત્ર પીપૂષ કેનેડામાં રહેતો હતો.
પણ અચાનક એવું તે શું થયું કે અચાનક ચુનીભાઈએ પોતાના ઘરે રૂમમાં છતના પંખા સાથે દોરી બાંધી પત્ની મુક્તાબેન સાથે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી. આ ઘટનાને પગલે સાથે રહેતા પુત્ર સહિતના તમામ ચોંકી ગયા હતા. આ ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં ભારે ચકચાર જગાવી હતી અને બંને વૃદ્ધ દંપતીના આપઘાત મામલે સરથાણા પોલીસને જાણ કરાતાં પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી જેઓને સ્થળ ઉપરથી એક સુસાઇડ નોટ મળી આવી હતી જે આ ઘટનાનો ભેદ ઉકેલવામાં પોલીસને મદદરૂપ બની હતી.

મૃતક વૃદ્ધ દંપતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સ્મિમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આપઘાત કરતા પહેલા મૃતક ચુનીભાઈએ 5-7 પાનાંની સુસાઈડ નોટ લખી હતી જેમાં કેનેડા રહેતા પુત્ર ના વર્તનથી લાગી આવતા આ પગલું ભર્યું હોવાની વાતને નિર્દેશ કરતી હતી. પોલીસ તપાસ દરમિયાન આપઘાત પાછળનું મુખ્ય કારણ પુત્રનું માતા-પિતાથી અળગા રહેવું અને પુત્રવધૂની ગેરવર્તણૂક હોવાનું સામે આવ્યું હતું.

ચુનીભાઈના નાના પુત્ર પિયુષને 2 વર્ષ પહેલા ફાયનાન્સના ધંધામાં નુકશાન થતા 38 લાખ રૂપિયા જેટલું દેવું થઈ જતા તે દેવું પણ તેમનાં માતા-પિતાએ દાગીના વેચીને અને કેટલાક લોકો પાસેથી ઉછીતા પૈસા લઈ ચૂકવી ત્યાર બાદ પીયૂષને કેનેડા મોકલી તેની સારી કારકિર્દી બને તે માટે તક આપી હતી પરંતુ પીયૂષ કેનેડા ગયા બાદ પોતાના માટે લાખ્ખોનો ખર્ચ કરનાર પોતાના સગા માતા-પિતાને ભૂલી ગયો હતો એટલું જ નહીં, માતા-પિતા સાથે સંબંધજ ખતમ કરી દીધો હતો.

પિયુષ કેનેડાથી કોઈ મદદ કરતો ન હતો. મદદ તો ઠીક તેમના હાલચાલ પણ પૂછતો ન હતો. ફોન પણ ક્યારેય કરતો નહતો. પિતાએ સામેથી વીડિયો કોલ કર્યા તો તેમાં પણ જવાબ આપતો નહતો. આટલું ઓછું હોય તેમ સુરત આવ્યો ત્યારે પણ બિમાર પિતાની ખબર અંતર પૂછવા પણ આવ્યો નહોતો. દીકરાની પત્ની પાયલ પણ ન બોલવાનું બોલી ગઈ હતી. આખરે હતાશ થઈ ચુનીભાઈ અને મુક્તાબેને જીંદગીનો અંત આણી આત્યંતિક પગલું ભરી લીધું હતું.

સુસાઇડ નોટમાં હાલમાં સાથે રહેતા પુત્ર અને પુત્રવધૂનો આભાર પણ વ્યક્ત કર્યો હતો અને જે લોકો પાસેથી પૈસા લીધા તેઓને પરત નહિ કરી શકવા માટેની વાત હોવાનું કહેવાય છે. સુસાઇડ નોટમાં તેઓના આપઘાત બાદ તેમની ઉત્તરક્રિયામાં ખર્ચ ન કરવા ભલામણ પણ કરી હતી. આ સાથે જ પીયૂષની પત્ની દ્વારા કરવામાં આવેલા ગેરવર્તન બાબતે તેને સંબોધીને એ બાબતે મનમાં લાગી આવ્યું હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. ભૂલી ગયેલા સંતાનના વિરહમાં માતા-પિતાએ પોતાના જ ઘરના પંખા સાથે દોરડું બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેવાની ઘટનાએ આ વિસ્તારમાં ભારે ચકચાર જગાવી છે.