એર ન્યૂઝીલેન્ડે કહ્યું કે, ઓકલેન્ડમાં ભારે પવન બાદ ફ્લાઇટમાં થયેલા વિક્ષેપોને સામાન્ય થતાં થોડા દિવસ લાગી શકે છે, મુસાફરોએ સોશિયલ મીડિયા પર રોષ સાથે વ્યથા ઠાલવી
ઓકલેન્ડમાં ભારે પવનને કારણે ફ્લાઇટ્સમાં થયેલા વિક્ષેપોને સામાન્ય થતાં થોડા દિવસ લાગી શકે છે. રવિવારે સાંજે ઓકલેન્ડ એરપોર્ટ પર ભારે પવનને કારણે આવતી અને જતી ફ્લાઇટ્સમાં વિલંબ થયો હતો. એર ન્યૂઝીલેન્ડે કહ્યું કે તેની 58 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે.
યાત્રાળુઓએ સોશિયલ મીડિયા પર જણાવ્યું કે, ભારે પવનને કારણે ગ્રાઉન્ડ ક્રૂને કામગીરી બંધ કરવી પડી હોવાથી તેમને વિમાનમાંથી ઉતરવામાં અને બેગેજ લેવામાં કલાકોનો વિલંબ થયો હતો. એક વ્યક્તિએ જણાવ્યું કે વેલિંગ્ટનથી ઉપડવામાં ચાર કલાકનો વિલંબ થયો, અને ઓકલેન્ડ પહોંચ્યા બાદ પણ તેમને એક કલાકથી વધુ સમય સુધી ટાર્મેક પર રોકી રાખવામાં આવ્યા. ”
એર ન્યૂઝીલેન્ડના ચીફ ઓપરેટિંગ ઓફિસર એલેક્સ મારેને કહ્યું કે, “ઘણી બધી ફ્લાઇટ્સ” આ વિલંબથી પ્રભાવિત થઈ છે. તેમણે ઉમેર્યું, “આગળની અસરોને ધ્યાનમાં રાખીને, અમે આગામી થોડા દિવસોમાં સામાન્ય કામગીરી ફરી શરૂ કરવા માટે વિમાનો અને ક્રૂને ફરીથી ગોઠવી રહ્યા છીએ.”
સોમવારે સવારે ઓકલેન્ડ એરપોર્ટના પ્રવક્તાએ કહ્યું કે, સુરક્ષાને લગતી ચિંતાઓને કારણે ગ્રાઉન્ડ ક્રૂ 74 કિમી/કલાકથી વધુ ઝડપી પવનમાં કામ કરી શકશે નહીં. તેમણે કહ્યું કે એરપોર્ટના ટર્મિનલ અને એરફિલ્ડ હવે “સામાન્ય રીતે કાર્યરત” છે. તેમણે વધુમાં કહ્યું, “અમને અપેક્ષા છે કે ટર્મિનલ, ખાસ કરીને ડોમેસ્ટિક ટર્મિનલ, સામાન્ય કરતાં થોડું વ્યસ્ત રહેશે કારણ કે એરલાઇન ટીમો વિક્ષેપિત ફ્લાઇટ્સના મુસાફરોને ફરીથી બુક કરી રહી છે. જો તમે સોમવારે મુસાફરી કરી રહ્યા હો, તો કૃપા કરીને તમારી એર











Leave a Reply